ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

વિશ્વ કઠોળ દિવસ: મેદસ્વિતા સામેની લડાઈમાં આપણું ‘સુપરફૂડ’ એટલે કઠોળ


વિશ્વ કઠોળ દિવસ -World Pulses Day એ દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કઠોળના પોષણ મૂલ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.

*​વિશ્વ કઠોળ દિવસનો ઇતિહાસ અને શરૂઆત*
​સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 2016 ને 'આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ, બુર્કિના ફાસો એક આફ્રિકન દેશે વિશ્વ કઠોળ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 2018 માં આ દિવસને મંજૂરી આપી અને 10 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રથમ વખત 'વિશ્વ કઠોળ દિવસ' ઉજવવામાં આવ્યો.

​દરેક વર્ષે આ દિવસ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે.​વર્ષ 2026 ની થીમ અંગે વાત કરવામાં આવે તો તે "Pulses of the World: From Modesty to Excellence" છે.
​આ થીમ કઠોળની એક સામાન્ય પાકમાંથી વૈશ્વિક 'સુપરફૂડ' બનવાની સફર અને તેની પોષણ ક્ષમતાને દર્શાવે છે.

​*મેદસ્વિતા સામેની લડાઈમાં આપણું 'સુપરફૂડ' એટલે કઠોળ*

આજની આધુનિક જીવનશૈલીમાં ‘મેદસ્વિતા’ (ઓબેસિટી) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. ત્યારે ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉજવાતો ‘વિશ્વ કઠોળ દિવસ’ આપણને તંદુરસ્ત જીવન તરફ પાછા વળવાનો સંદેશ આપે છે. મેદસ્વિતા મુક્તિ અભિયાનમાં જો કોઈ સૌથી શક્તિશાળી હથિયાર હોય, તો તે આપણા રસોડામાં રહેલા વિવિધ કઠોળ છે.
*મેદસ્વિતા ઘટાડવામાં કઠોળ કેમ શ્રેષ્ઠ છે?*
કઠોળ માત્ર પ્રોટીનનો સ્ત્રોત નથી, પણ તે વજન ઘટાડવા માટેના અનેક ગુણો ધરાવે છે, કઠોળમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. પરિણામે, વારંવાર ભૂખ લાગતી નથી અને ‘ઓવરઈટિંગ’ થી બચી શકાય છે. કઠોળ ખાવાથી શરીરમાં બ્લડ શુગર એકદમ વધતું નથી. તે ધીમે ધીમે ઊર્જા આપે છે, જે ચરબીના જથ્થાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સ્નાયુઓના નિર્માણ માટે પ્રોટીન અનિવાર્ય છે. કઠોળના સેવનથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, જે કેલરી બાળવામાં મદદ કરે છે.કઠોળમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
*મેદસ્વિતા મુક્તિ માટે આહારમાં ફેરફાર*
સવારના નાસ્તામાં તળેલા નાસ્તાને બદલે ફણગાવેલા મગ કે ચણા લેવાની આદત પાડો ખોરાકમાં વિવિધતા લાવવા માટે અલગ-અલગ કઠોળ મિશ્રણનું સેવન કરવું લાભદાયી છે.
રાત્રે હળવો ખોરાક લેવા માટે કઠોળનું સૂપ અથવા મગની દાળની ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે.

 મેદસ્વિતા મુક્તિ એ માત્ર ડાયેટિંગ નથી, પણ યોગ્ય આહારની પસંદગી છે. ચાલો, આ ‘વિશ્વ કઠોળ દિવસ’ પર સંકલ્પ કરીએ કે આપણા રોજિંદા આહારમાં કઠોળને સ્થાન આપીશું અને મેદસ્વિતા મુક્ત, સ્વસ્થ ભારતનું નિર્માણ કરીશું.
 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,732