વાહનોની વધુ અવરજવર હોવાના કારણે
છત્રાલા થી ભીલડી ઇન્દિરાનગર સુધી હાઇવે રોડ કરવાની ઉઠી માંગ સદરપુર થી છત્રાલા સુધી નદીમાં પુલ બનાવવાની મંજૂરી મળતા ગામડાઓની કનેક્ટિવિટી વધશે ચાર કિલોમીટર સુધીનો રસ્તો પહોળો કરવાની માંગ:વાહનચાલકોડીસા તાલુકાના છત્રાળા થી સદરપુર સુધી બનાસ નદીમાં પુલની માગણી વર્ષોથી હતી જે ગુજરાત સરકાર દ્વારા સદરપુર થી છત્રાળા સુધી પુલ બનાવવાની મંજૂરી આપી દેવાય છે ત્યારે ભીલડી થી પાટણ સુધીના ગામડાઓને આ પુલ બન્યા પછી અવરજવર વધશે હાલમાં પણ દિવસે વાહનોને અવરજવર વધુ હોવાના કારણે છાત્રાલા થી ભીલડી ઇન્દિરા નગર સુધી હાઇવે રોડ બનાવે તેવી લોકમાંગ ઉઠી છે વધુ વાહનોની અવરજવરના કારણે અત્યારે સિંગલ પટ્ટી ઉપર સાધનોને લાઈનો લાગે છે ત્યારે આવનાર સમયમાં પણ જે પુલ બનશે તેના પછી પણ વાહનોની અવરજવર વધશે અને ભીલડી સાથે પાટણના તેમજ ડીસા પંથકના ઘણા ગામડાઓ કનેક્ટિવિટી જોડાશે ત્યારે પૂલની મંજૂરીની સાથે ભીલડી ઇન્દિરાનગર થી છત્રાળા સુધી રસ્તો પહોળો બનાવવાની લોક માંગ ઉઠી છે
એહવાલ.... વિક્રમસિંહ રાઠોડ ભીલડી