ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

*વાવ-થરાદ જિલ્લા ના વાવ મા ઉપવાસ નો 61મો દિવસ*

વાવ થરાદના વધુ સમાચાર જોવા માટે youtube ની લીંક ઉપર ક્લિક કરી વધુ ન્યુઝ જોઈ શકશો લીંક નીચે આપેલી છે. 

               https://youtube.com/@lakshnewskalol?si=5A8tK-SOvzjRkjvD

                            *વાવ-થરાદ જિલ્લા ના વાવ મા ઉપવાસ નો 61મો દિવસ*

બનાસ ડેરી સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈને રમેશભાઈ રાજપૂત છેલ્લા 60 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને આજે તેમનો 61મો દિવસ પૂર્ણ થયો છે. આંદોલનને વધુ વેગ આપવા માટે આજે પશુપાલકોને સમર્થન આપવા માટે તેમણે આહવાન કર્યું હતું.

રમેશભાઈ રાજપૂતે પોતાના ઉપવાસ દ્વારા બનાસ ડેરીના વહીવટમાં સુધારા અને પારદર્શિતા લાવવા માટે પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

તેમની પ્રથમ માંગણી મુજબ, બનાસ ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચારી અને કૌભાંડી ગણાતા ચેરમેન તથા જવાબદાર તંત્રને હટાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

બીજી માંગણીમાં બનાસ ડેરીમાં લગભગ 300 યોગ્ય અને લાયકાત ધરાવતા યુવાનોની નવી ભરતી કરવાની વાત કરવામાં આવી છે, જેમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને વધુ પ્રાધાન્ય આપવા પર ભાર મૂકાયો છે.

ત્રીજી માંગણી મુજબ, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એક સીટ અનુસૂચિત જનજાતિ (ST) અને એક સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે.

ચોથી માંગણી તરીકે, છેલ્લા દસ વર્ષ દરમિયાન બનાસ ડેરીના વહીવટની સંપૂર્ણ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

પાંચમી માંગણીમાં બનાસ ડેરી હેઠળની તમામ ગામની દૂધ મંડળીઓમાં નિયમિત રીતે દૂધ પૂરું પાડતા પશુપાલકોને સભાસદ તરીકે સામેલ કરવાની વાત કરવામાં આવી છે.

આંદોલનને મળતા સમર્થનને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક પશુપાલકો અને વિવિધ સમાજના આગેવાનો પણ આંદોલન તરફ આકર્ષાઈ રહ્યા છે, જેના કારણે તંત્ર પર દબાણ વધતું જઈ રહ્યું છે.

*અહેવાલ ભલા ભાઈ રાજપૂત વાવ-થરાદ*

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
4,024