ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / બનાસકાંઠા

અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬: પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

 

અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬: પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન અર્થે ૨૮ સમિતિઓની રચના: માઈભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર સજ્જ
ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને લઈને પ્રભારી મંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી સર્વગ્રાહી સમીક્ષા

શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત આદ્યશક્તિ પીઠ ખાતે યોજાનારા આ પવિત્ર મહોત્સવના સુચારુ આયોજન અને સંચાલન અર્થે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી

ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહા મેળાની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે અને સુદ્રઢ સંકલન રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ અલગ-અલગ ૨૮ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે સમગ્ર વ્યવસ્થાપન પર સીધી દેખરેખ રાખશે.

બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓ અને માઈભક્તોને દર્શન દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ સંદર્ભે શ્રદ્ધાળુઓ માટે એસ.ટી.બસ સુવિધા, રોકાણ અને ભોજન, પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, મંદિરમાં સુગમ દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી સહિતની તમામ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે સહિત જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,162